રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સીટી બસ બુધવારે કાળ બની આવી અને 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. રફતારના કેરના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવતા લોકો રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરીને બારીઓના કાચ તોડી નાખ્યાં હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રોષ પ્રગટ કર્યો હતો.
Category
🗞
News